LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Sunday, October 18, 2020

ગાંધીજીને અપાયેલા માનપત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

 ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ  ગાંધીજીનો ૧૫૧મો જન્મ દિવસ છે. ભારત સરકારે ગાંધીજીના ૧૫૦માં જન્મ વર્ષની વર્ષ ઉજવણી કરી હતી. જેના પરિપક રૂપે પાંચ વર્ષના

સંશોધન અંતે તૈયાર થયેલા ગ્રંથ “ગાંધીજીને અપાયેલા માનપત્રો” પ્રકાશિત થયો છે.

આજ દિન સુધી ગાંધીજીના વિચારો અને તેના અર્થઘટનો અને તેમના જીવન કાર્યને લગતા અનેક ગ્રંથો વિશ્વમાં પ્રકાશિત થયા છે. પણ ગાંધીજીને મળેલા માનપત્રો અંગે કોઈ સંશોધન કે લેખન થયું નથી. વિશ્વમાં આ પ્રકારનું આ પ્રથમ સંશોધન અને લેખન છે. જેમાં ગાંધીજીને મળેલા ૬૯ જેટલા માનપત્રો શોધીને તેની અસલ ફોટો નકલ મુકવા આવી છે. અને તેના પર સંશોધન કરી લેખન પણ કરવામાં આવેલ છે.

એવા

 

જાન્યુઆરી માસ ગાંધીજીના જીવનમાં મહત્વનો રહ્યો છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં તેમનું આગમન થયું. અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેઓ દિલ્હીમાં શહીદ થયા. ભારતની આઝાદીની લડતમાં છેલ્લે સુધી રત રહેનાર ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે માત્ર "ભાઈ" કે "મો.ક.ગાંધી" તરીકે જ ઓળખતા હતા. હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. પણ તેમની ખ્યાતી ભારતના ખૂણે ખૂણે તેમના આગમન પૂર્વે  પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડના સ્વાતંત્ર ઘેલા યુવાનોમાં તેમની ઘેલછા અદભૂત હતી. અને એટલે જ ભારતમાં ગાંધીજીને સૌ પ્રથમ "મહાત્મા" નું  માન આપનાર પણ સૌરાષ્ટ્ર વાસીઓ જ હતા.

ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે ૭.૩૦ કલાકે ઉતર્યા. અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર સંગ્રામમા એક નવા યુગનો આરંભ થયો. ભારતમાં ગાંધીજીના આગમન સમયે હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું નહતું. દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ "ભાઈ" તરીકે સંબોધતા હતા. ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સૌ પ્રથમ કોણે આપ્યું, એ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે. મોટે ભાગે ઇતિહાસના પાનાનો પર ગાંધીજીને "મહાત્મા" સૌ પ્રથમ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર હતા, એમ મનાય છે.પણ એ સત્ય નથી. ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ સન્માન અને માનપત્રોની પરંપરા આરંભાઈ હતી. જે તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. આવા જ સન્માનો અને માનપત્રોમા સૌ પ્રથમ વાર તેમના માટે "મહાત્મા" શબ્દનો ઉપયોગ થયો હતો.

ભારતમાં ગાંધીજીના આગમન પછી તેમણે સૌ પ્રથમ મુંબઈથી રાજકોટ પ્રયાણ કર્યું હતું. પ્રવાસમાં તેમણે ૨૧ જાન્યુઆરીએ જેતપુર અને ૨૪ જાન્યુઆરીએ ગોંડલની મુલાકાત લીધી હતી. બંને સ્થાનો પર તેમને માનપત્રો આપી સન્માનવામાં આવ્યા હતા. બંને શહેરની પ્રજાએ આપેલા માનપત્રોમા  "મહાત્મા" શબ્દનો પ્રયોગ થયો હતો. મુજબ ૨૧ જાન્યુઆરીની જેતપુરની મુલાકાત દરમિયાન તેમને તથા તેમના ધર્મપત્ની કસ્તુરબાને સન્માનિત કરી માનપત્રો આપવમાં આવ્યા હતા. એ માનપત્રમા સૌ પ્રથમવાર ગાંધીજી માટે "મહાત્મા" શબ્દ પ્રયોજાયો હતો. એ ઐતિહાસિક તથ્ય ભારતના ઇતિહાસમાં બહુ ઝાઝું ઉજાગર થયું નથી.

૨૧ જાન્યુઆરીએ ગાંધીજી ગોંડલ સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પર તેમને સત્કારવામા આવ્યા. ત્યાંથી તેમની ટ્રેન વીરપુર પહોંચી. ત્યાં પણ તેમને સત્કારવામાં આવ્યા. ત્યાંથી ટ્રેન નવાગઢ પહોંચી. નવાગઢ સ્ટેશને ગાંધીજીનું સ્વાગત થયું. ગાંધીજી ત્યાં ઉતરી ગયા. નવાગઢથી મોટર માર્ગે તેઓ જેતપુર આવ્યા. જેતપુરમાં તેમનો ઉતારો શ્રી દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. એ જ દિવસે જેતપુરમાં ગાંધીજીને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ૪૯ નગરજનોની સહી સાથે ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્રના મથાળે લખ્યું હતું,

"શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો"

માનપત્રનું આ મથાળું એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમ  "મહાત્મા"નું બિરુદ આ માનપત્ર દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું હતું. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પયોગ થયાનું કહેવાય છે. એ સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય. એટલે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને  "મહાત્મા" નું બિરુદ આપ્યાની ઉક્તિ યોગ્ય નથી. આ માનપત્રમા આલેખાયેલા વિચારો એ સમયના ગાંધીજી પ્રત્યેના લોક માનસને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેનું આચમન વાચકોને અચૂક ગમશે.

"મહાશય

ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમીમા પધરામણી થતા અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળેલ છે તે માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે. અને તે શુભ પ્રસંગની યાદગીરી રૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ.

 

કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ રા.રા. કરમચંદ ગાંધીના કુટુંબમાં જન્મ લઇ સારી કેળવણી મેળવી બારિસ્ટર-એટ-લો થઇ પોતાના સ્વાર્થના ભોગે હિન્દુસ્થાન માટે જે જે કર્યું....વિવેચન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઇ જાય,પણ આપના જીવનચરિત્રના પુસ્તકો લખાયેલા છે જેથી આ સ્થળે તે વિષે વધારે લખવું અમને ઉચ્ચીત લાગતું નથી.

 

નિસ્વાર્થપણે સુખ દુઃખ સહન કરી આત્મભોગ આપવો તથા પૈસા સબંધી પણ ભોગ આપવો તે કોઈ ઓછું કઠીન કાર્ય નથી. હિન્દુધર્મશાસ્ત્રની અંદર યોગીઓએ વર્તવા જે જે કહેણ છે તેમણે કેવી રીતે વર્તવું, તેમનો શું ધર્મ છે તે વિષે જે કહેલું છે તે મુજબ આપ વર્તો છો અને આપના જીવનચરિત્રને એક મહાન યોગીની ઉપમા આપવી તે આપના આત્માના અનુભવ ઉપરથી અમોને જરા પણ અતિશયોક્તિવાળું લાગતું નથી.

 

છેવટે આપ જેવી રીતે અદ્યાપિ પર્યંત હિંદના ભલા માટે પ્રયત્ન કરો છો તેમ કરીને હિંદને આભારી કરતા રહો તથા આપની તથા આપના પત્નીની શારીરિક સંપતિ સારી રહે અને આપને પરમ કૃપાળુ પરમેશ્વર દીર્ઘાયુષ્ય આપે અને સુખી રાખે તથા આપના  કુટુંબ સહીત આપ સુખશાંતિ ભોગવો એમ અમારી જગત્ નિયંતા પાસે પ્રાર્થના છે. તથાસ્તુ."

માનપત્રના અંતે જેતપુરના ૪૯ અગ્રગણ્યની સહી છે. જેમાં મુખ્યત્વે દેવચંદ ઉત્તમચંદ પારેખ, રણછોડલાલ લક્ષ્મીદાસ મહેતા, કાલિદાસ કાનજી શેઠ, માધવરાય એન. મહેતા, દિનશાહ બરજોરજી બહેરાનજી, મહેતા મોહનલાલ દામોદર, મણીલાલ હાકેમચંદ ઉદાણી, હાકેમચંદ ખુશાલચંદ,અબ્દુલ્લા અયુબ, મગનલાલ ભીમજી જોષી વગેરેનો સમાવેશ કરી શકાય. ૨૧-૧-૧૯૧૫ના રોજ આપવામાં આવેલ આ માનપત્ર રાજકોટમા છાપવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ માનપત્રના અંતે જોવા મળે છે. ગાંધી સાહિત્યના આધારભૂત ગ્રંથ મહાદેવભાઈની ડાયરી ઈ.સ.૧૯૧૮થી શરુ થતી  હોય આ માનપત્ર અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી. જયારે ગાંધીજીના અક્ષરદેહમાં આ માનપત્ર કે તેનો કોઈ જોવા મળતો નથી. ગાંધીના ભારતમાં આગમનનો આ સૌથી પ્રારંભિક કાળ હોય દરેક ઘટનાનો ઉલ્લેખ અક્ષર દેહમાં ન થયાની શક્યતા નકારી શકાય નહિ. આ માનપત્ર સાથે, જ કસ્તુરબાને પણ માનપત્ર આપવામાં આવ્યું હતું.

જેના મથાળે લખ્યું હતું,

"અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી બહેન કસ્તુરબાઈ"

કસ્તુરબાને મળેલ આ માનપત્રના કેટલાક અંશો પણ જાણવા જેવા છે. માનપત્રના ત્રીજા પેરેગ્રાફમા લખ્યું છે,

 

"સ્ત્રી જાતીને પોતાનો પતિવૃતા ધર્મ કેવી રીતે પાળવો પોતાના પતિની આજ્ઞા પ્રમાણે કેમ વર્તવું તથા પતિને સુખે સુખી અને તેના દુ:ખે દુઃખી તે જે આપણા શાસ્ત્રનું મહાન વાકય છે તે મુજબ વર્તી ખરેખર પતિ પરાયણ થઇ સ્વદેશની સેવાને માટે જરૂરને વખતે કારાગૃહમા જવાના અને બીજા અનેક દુ:ખોને નહિ ગણકારતા આત્મભોગ આપી આપે જે દાખલો બેસાડ્યો છે તે અનુપમ છે અને આખા સ્ત્રી વર્ગને નમુના રૂપ છે."

 

માનપત્રની નીચે જેતપુરની ત્રીસ બહેનોની સહીઓ જોવા મળે છે. જેમાં મુખત્વે બાઈ જીવી લાલજી, શીરીનબાઈ મારકર, અંબા, નંદકુવ હરજીવન દોશી વગેરનો સમાવેશ કરી શકાય. આ બંને માનપત્રો કાપડ ઉપર પ્રિન્ટ થયેલા છે. માનપત્રોની ભાષામા લાંબા વાક્યો સાથે અલંકારિક શબ્દોનો પ્રયોગ થયો છે. છ પેરેગ્રાફમા લખાયેલ ગાંધીના માનપત્રમા વિગતોની ભરમાર નથી. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંશા સાથે, આવકાર અને પ્રજાની અપેક્ષા દ્રષ્ટિગોચર થાય છે. આ તમામ વિશિષ્ટતાઓ સાથે સૌથી મહત્વની બાબત તેના મથાળામાં ગાંધીજી માટે વપરાયેલ "મહાત્મા" શબ્દ છે. જે દર્શાવે છે કે ગાંધીજીને "મહાત્મા"નું સૌ પ્રથમ બિરુદ-તખ્લુસ આપનાર પણ તેમની માદરેવતન ધરતી કાઠીયાવાડ જ છે. જે સૌ કાઠીયાવાડીઓ માટે ગર્વની વાત છે અને રહેશે.

 

 

 

 

ગાંધીજીને મળેલ માનપત્રોમા વિવિધતાના અનેક રંગો જોવા મળે છે.એ સાથે ભારતના વિવિધ પ્રદેશોની પ્રજા દ્વારા ગાંધીજીને મળેલા માનપત્રોમા ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને તેમના માર્ગે ચાલવાની પ્રજાની તત્પરતા પણ વ્યક્ત થાય છે. જેમ કે ૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુરની મૈઢ રાજપૂત સભા દ્વારા ગાંધીજીને હિન્દીમાં આપવામાં આવેલ માનપત્રમા ગાંધીજીના ચરખા અભિયાનમાં જોડવાની આખા રાજપૂત સમાજે કરેલી પ્રતિજ્ઞા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. આ માનપત્રના મથાળે લખવામાં આવ્યું છે અભિનંદન પત્ર”. અને તેની નીચે લખ્યું છે, પૂજ્યપાદ જગત શ્રેષ્ટ મહાત્મા મોહનદાસ કર્મ ચંદ ગાંધીજી કે શ્રી ચરણોમેં  સમર્પિત મૈઢ રાજપૂત સભા સહારનપુર કી ઔર સે

આ મથાળા પછી માનપત્રનો આરંભ થાય છે. જેમા લખ્યું છે,

શ્રી મહાત્માજી,

મૈઢ રાજપૂત બિરાદરી કો આજ સૌભાગ્ય પ્રાપ્ત હૈ કી વહ આપકે દર્શન સે અપને કો પુનર્જિવિત કરે. હમારી બિરાદરી ગફલત કી નીંદ સો હી થી. આજ આપકે દર્શન સે હમારા જીવન સફલ હોતા હૈ. હમ હદય સે આપકા સ્વાગત કરતે હૈ. હમારી બિરાદરી મેં  ત્રુટીયા હૈ. વે હમ અચ્છી તરહ જાનતે હૈ ઔર હમ આપકો વિશ્વાસ દીલાતે હૈ કી ભવિષ્યમેં હમારા એક માત્ર કર્તવ્ય યહી હોગા કી હમ અપના સુધાર કરકે જાતિ ઉદ્ધાર મેં પરિશ્રમ કરે. હમ જાનતે હૈ કી એસા કરને સે હી આપકી આત્મા પ્રસન્ન હોગી. ઔર હમારા જીવન ભી વ્યર્થ ન હોગા.

આપકી પ્રેરણા સે હમ ચરખે અપને ઘરોમેં ફિર સે સ્થાપિત કર રહે હૈ. ઔર આશા હૈ કી યથા શીઘ્ર હમારી બિરાદરીકા કોઈ ઘર બીના ચરખે ન રહેગા. હમ યહ તુચ્છ રકમ બતોર પરસ કે આપકે ચરણોમેં પેશ કરતે

હૈ. આશા હૈ આપ સ્વીકાર કર કે કૃતાર્થ કરેંગે. અંતમે હમ ઈશ્વેર સે પ્રાર્થના કરતે હૈ કી આપને જો ભારત વર્ષ ઔર મનુષ્ય માત્ર કે ઉદ્ધાર કા બેડા ઉઠયા હૈ વહ શીઘ્ર હી પાર લગેગા.

આપકી સેવામે

મૈઢ રાજપૂત સભા

ગાંધીજીને મળેલા કેટલાક માનપત્રો હસ્ત લિખિત છે જેમાં તારીખ કે સ્થળ સ્પષ્ટ થતા નથી. પણ ભારતની પ્રજાની ગાંધીજી અને તેમના કાર્યો પ્રત્યેની ભાવના ધારદાર રીતે વ્યક્ત થાય છે. એવા જ એક હસ્ત લિખિત માનપત્રનો આરંભ શ્રી ગણેશજીના ગોળાકારમાં હાથે દોરેલા ચિત્રથી થાય છે. ચિત્રની ડાબી બાજુ શ્રી ગણેશાય નમઃલખ્યું છે. જયારે જમણી બાજુ સ્વરાજ જન્મનો હક્ક હૈ  લખ્યું છે. હિન્દી ભાષામાં લખાયેલ આ માનપત્રનો આરંભ કરતા હસ્ત લિખિત અક્ષરોમાં લખ્યું છે,

 

પૂજયનીય મહાત્માજી

ધન્ય ધન્ય વહ દિન જિસ દિન આપકે મુખ કમલ કા અવલોકન હો. ધન્ય ધન્ય વહ ધરી જિસમેં આપકે ચરણકમલ પધારે. ધન્ય ધન્ય વહ હાથી દરવાજા જહાં આપકે વિમાન રૂપી રથ ચલે... પરમાત્મા કા કોટી કોટી વંદન કરતે હૈ કી આજ હંમે આપકે મુખ કમલ કા દર્શન પ્રાપ્ત હુઆ હૈ. આપ કે સમાગમ કી ઇતની અભિલાષાથી જેસે અયુંધ્યાવાસીઓ કો રાજયશિરોમણી શ્રી રામચંદ્ર કી અભિલાષા થી. ઈશ્વર આપકો સહસ્ત્રાઆયુ પ્રદાન કરે, જો આપ સદેવ ધર્મનીતિક, રાજનીતિક કાર્યો મેં પ્રવર્ત કરે. ઔર આપ જેસે કે કારન

પંચાયતે બની રહે. યથા આપસ કે ઝગડે અપની પંચાયતો મેં નિબટાયા કરે ઔર કોરટ મેં ન જાય. ઇસ લીયે યહ હાથી દરવાજાવાલી પંચયાત પરમાત્મા કે દરબાર મેં બિનતી કરતી હૈ કી આપકો ઇસ કાર્ય મેં સૌભાગ્ય પ્રાપ્ત હો. આપ કે પ્રચાર સે  શહર શહર ગાવ ગાવ મેં હર જગહ સેવા મંડલીયે હો રહી હૈ જીનકા કાર્યફલ અપને ભાઈઓ કી સેવા કરના હૈ. ઇસી કારન, ઇસી તરહ હાથી દરવાજે વાલી દેશ હિતકારક મંડલી આપશે આશીર્વાદ માંગતી હૈ  જો આપ કૃપયા ઇસ મંડલી પર પવિત્ર હસત કમલ ધારણ કરે ,જો યહ મંડલી અપને ઉદેશો પર કાયમ રહે

આ માનપત્રમા વ્યક્ત થેયેલી ભાષા અને વિચારો નોંધપાત્ર છે.પ્રથમ તો તેની ભાષા અને શબ્દોના

ગઠનમાં એ યુગની ઝાંખી થાય છે. જયારે તેના વિચારોમાં ગાંધીજીની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પ્રત્યેની વિભાવના વ્યક્ત થાય છે. અંગ્રેજી કોર્ટો કરતા આપણી પંચાયતો સામજિક સમન્વય અને ન્યાયનું ઉમદા માધ્યમ હતી. અંગ્રજોના શાસનકાળ દરમિયાન પંચાયતોનું અસ્તિત્વ ભુંસાઈ ગયું હતું. અને તેનું સ્થાન અંગ્રજી કોર્ટોએ લીધું હતું. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં સ્વદેશી વિચારને અમલમાં મુકવાના ભાગ રૂપે પંચાયતોને પુનઃ જીવંત કરવા પ્રજાને હાકલ કરી હતી.તેનું પ્રતિબિંબ આ માનપત્રમા જોઈ શકાય છે.

ગાંધીજીને મળેલા માનપત્રોના ભિન્ન  સ્વરૂપને વ્યક્ત કરતુ એ અન્ય માનપત્ર માણવા જેવું છે. ઉર્દૂ ગઝલના સ્વરૂપમાં લખાયેલ આ માનપત્ર  ૧૩  નવેમ્બર ૧૯૨૯ના રોજ ગાંધીજીને આપવામાં આવ્યું હતુ. માનપત્રમા  રાયબરેલી જીલ્લાના લાખા ગામની મીડલ સ્કુલના હેડ માસ્તર અને જાણીતા શાયર જાનકી પ્રસાદ મૈકશ એ ગાંધીજીના આગમન સમયે પોતાની ગઝલ  દ્વારા તેમના કાર્યોને બિરદાવ્યા હતા. ઉર્દુમાં લખાયેલ અને ૧૩ નવેમ્બરના રોજ રાયબરેલી મુકામે ગાંધીજીના માનમાં યોજાયેલ સમાંરભમાં વાંચી સંભળાવી,તેમને અર્પણ કરવામાં આવેલા માનપત્રની ગઝલના એક એક શબ્દ અને વિચારોમાં ગાંધીજી દ્રશ્યમાન થાય છે. ગઝલના મથાળે લખ્યું છે,

જાનકી પ્રસાદ મૈકશહેડ માસ્તર મીડલ સ્કુલ લાખા જિલ્લા રાયબરેલીએ પછી આરંભેલ ગઝલમાં લખ્યું છે,

આજ કા દિન તુમકો મુબારક હો,

તુમ્હારે ઘરમે વતનકા મદદગાર આયા હૈ

ચરખે સે આવાઝ આતી હૈ  કે તુમ ઇસકો ચલાઓ,

અગર તુમ્હેં ખુશીકા ચહેરા દેખના હૈ,

કોશિશ કરકે તુમ સુત કાંતો ઔર કપાસ ઉગાઓ

તુમ નંગે રહેને કે બજાય બુન્નેકા પેશા ઇખ્ત્યાર કરો,

અગર તુમ હાથ પેર કો હરકત દોગે તો ખુદા બરકત દેગા,

ઔર ઇસકી વજહ સે તુમ તંદુરસ્ત રહોગે

ઔર તુમ્હે દાક્તર કી જરૂરત નહિ પડેગી

સખ્તી કો ઔર કડવાહટ કો તુમ બરદાસ્ત કરો, ઉફ મત કરો

યહી ગાંધીકા ઔર ઉસકે જીનેકા તરીકા હૈ

તુમ જાન ઔર માલ કી પરવા ન કરો

મેં વતન કી શમ્મા કા પરવાના હું

અગર હમારા ઇત્ફાક બલંદી પર હૈ

તો આઝાદીકા સુરજ કરીબી હૈ

ઉસકો ઝાહિર ઔર બાતીની કી સબ ખબર હૈ"

ઉપરોક્ત માનપત્રમા ગાંધીજીનો ચરખો અને તેની પાછળની રાષ્ટ્રને સ્વાવલંબી કરવાની ગાંધીજીની ભાવના શાયરે વ્યક્ત કરી છે. ૧૯૨૯ના ૧૩ નવેમ્બરનો યુગ રાષ્ટ્રીય જાગૃતિની પરાકાષ્ઠાનો યુગ હતો.એક બાજુ અહિંસક ગાંધી વિચારો પ્રસરેલા હતા, તો બીજી બાજુ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓથી  ભારતનો યુવા વર્ગ પ્રભાવિત હતો. એમ કહેવાય છે કે એ યુગમા ગાંધીજીની લોકપ્રિયતા કરતા ભગતસિંગની લોકપ્રિયતા બમણી હતી. અને આમ છતાં ગાંધીનો જાદુ યથાવત હતો. ચરખા અને અહિંસાની ખેવના લોકોના માનસમાં સંગ્રાહેલી હતી. જે આ ગઝલના સ્વરૂપમાં લખાયેલા માનપત્રમા જોઈ શકાય છે.

ગાંધીજી સીતાપુરથી રાયબરેલી આવ્યા. રાયબરેલીમાં તેમને મ્યુનિસિપાલટી, જીલ્લા બોર્ડ, અધ્યાપક સમિતિ, જીલ્લા કિસાન, કોંગ્રેસ કમીટી, સ્વાગત સમિતિ, મહાવીર પ્રસાદ છાત્રાલય અને આર્ય કુમાર વગેરે તરફથી માનપત્રો એનાયત થયા હતા. એમાનું એક આ માનપત્ર અધ્યાપક સમિતિ જીલ્લા રાયબરેલીના સભાપતિ ઈન્દ્રપાલ સિંહ અને સભ્યો તરફથી આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના રાયબરેલી જીલ્લાનું મુખ્ય શહેર રાય બરેલી સાઈ નદી પર વસેલી છે. લખનૌ થી ૮૨ કિલોમીટરના અંતરે આવેલ આ શહેર ભારતના ગાંધી-નહેરુ પરિવાર સાથે જોડાયેલુ છે. આઝાદી પછી જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝશાહ ગાંધી અહીંથી લોકસભામાં ચુંટાયા હતા. એ પછી ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો પણ રાજકીય નાતો આ શહેર સાથે ઘનિષ્ઠ રહ્યો છે. એ શહેરના અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ આ માનપત્રમાં ગાંધીજી સમક્ષ અધ્યાપકોનો મનોદશ વ્યક્ત કરે છે.

હિન્દી ભાષામાં પ્રિન્ટ કરી આપવામાં આવેલ આ માનપત્ર આજથી ૮૭ વર્ષ પૂર્વે તા. ૧૩ નવેમ્બર ૧૯૨૯ના રોજ રાયબરેલી જિલ્લા અધ્યાપક સમિતિ દ્વારા ગાંધીજીને આપવામાં આવ્યું હતું. માનપત્રમાં એ યુગના અધ્યાપકોએ રજુ કરેલ પોતાની વ્યથા અને ગાંધીજી પ્રત્યેની અપેક્ષાઓ આજે પણ સુસંગત ભાસે છે. ગંગાધર પ્રેસ, રાયબરેલીમાં છપાયેલ આ માનપત્રના અંતે રાયબરેલી જિલ્લા અધ્યાપક સમિતિના સભાપતિ ઈન્દ્રપાલ સિંહ અને અન્ય સભ્યો લખવામાં આવ્યું છે. માનપત્રની હિન્દી ભાષા સરળ અને સ્પષ્ટ છે. "શ્રધ્ધેય દેશાત્મા મહાત્મા"ના સંબોધનથી આરંભાયેલા માનપત્રના પ્રથમ પેરેગ્રાફમાં અધ્યાપક સમાજ ગાંધીજીની અપેક્ષાઓમાં ઉણો ઉતરવા બદલ શરમીંદગી વ્યક્ત કરે છે. અને ભારતમાં ગાંધીજી જેવા મહાપુરુષના જન્મથી ગર્વ પણ અનુભવે છે. છેલ્લા છ વર્ષથી રાયબરેલીમાં જિલ્લા અધ્યાપક સમિતિની રચના થઇ છે. જેનો ઉદેશ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન કરવા અને અધ્યાપકો ની લાયકાતમાં અભિવૃદ્ધિ કરવા પ્રયાસ કરવાનો છે. એ ઉદેશની પૂર્તિ માટે આ સમિતીએ પ્રોવિશિયલ ટીચર્સ એસોસિયેશન અને ભારતીય અધ્યાપક મહાસભાની સ્થાપનામાં યોગદાન આપ્યું છે. વળી, અધ્યાપક સમિતિ દ્વારા અસ્પૃશ્યતા નિવારણના ભાગ રૂપે અસ્પૃશ્યોના શાળા પ્રવેશ માટે પણ પ્રયત્નો થયા છે.  સ્કાઉટની પ્રવૃતિને પણ અધ્યાપક સમિતિ દ્વારા વિકસાવવાના પ્રયત્નો થયો છે. અને તેમાં પણ અધ્યાપકોએ રસ દાખવ્યો છે.

આમ છતાં એ યુગમાં પણ અધ્યાપકો પ્રત્યેના સરકારી વલણમાં આજની તુલનામાં કોઈ ઝાઝો ફેર જોવા મળતો નથી. તે માનપત્રના ત્રીજા પેરેગ્રાફમાં વ્યક્ત થયેલા વિચારો દ્વારા જાણી શકાય છે. અધ્યાપક સમિતિએ રાજ નૈતિક માર્ગ પર કદમો માંડ્યા નથી. રાજનીતિથી તે દૂર છે. છતાં માનપત્રમાં એવા આક્ષેપો થયેલા થયેલા જોવા મળે છે કે અધ્યાપકો રાષ્ટ્રીય કાર્યકર્તાઓના હાથની કઠપુતળી બની ગયા છે. પરિણામે શિક્ષા વિભાગ જ અધ્યાપક સમિતિને સહયોગ નથી આપતો. અધ્યાપક સમિતિના અધિવેશનોમાં પણ શિક્ષણ વિભાગ સહયોગ નથી આપતો. જયારે અન્ય સરકારી વિભાગો અધ્યાપક સમિતિને સહકાર આપે છે.

 

અધ્યાપક સમુદાયના સામાજિક દરજ્જા અન્વયે પણ આ માનપત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. જે સમુદાય ગામડાઓ અને શહેરોમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરે છે. તેવા અધ્યાપક સમુદાય અંગે "દીન સમુદાય" તરીકે માનપત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. વળી, અધ્યાપક સમુદાય પ્રત્યેનો દેશ નેતાઓનો અભિગમ પણ નિરાશાજનક જોવા મળે છે. એ અંગે ગાંધીજીને વિનંતી કરતા માનપત્રમાં કહેવામાં આવ્યું છે,

 

"દેશ કે નેતાઓ કા ધ્યાન ભી ઇન ગૃહસ્થો કી ઔર નહિ ગયા હૈ. ઉસી સે હમ બહુત નિરાશ હૈ. શ્રીમાન સે હમારા સાદર  અનુરોધ હૈ કી જિસ પ્રકાર આપ જિલે કે મજદુર આદિ ભિન્ન ૨ વર્ગો કી ઔર ધ્યાન દેતે હૈ ઉસી પ્રકાર હમારી હીન દશા કી  ઔર ભી દ્રષ્ટિ પાત કીજિયે. ક્યોકી ભગવાન ભાસ્કર કી કિરણો સર્વત્ર સમાન પડતી હૈ જબ કિ શ્રીમાન અપને આપ કો દરિદ્ર નારાયણ કા પ્રતિનિધિ કહતે હૈ તો ફિર હમારા સમુદાય ભી આપકી કૃપા કટાક્ષ કા અધિકારી હૈ."

 

ટૂંકમાં આ માનપત્ર એ યુગના અધ્યાપકોની મનોદશાનું તાદ્રશ્ય આલેખન કરે છે. હવે આપણે તે મૂળ માનપત્રનો  અભ્યાસ કરીએ.

 

અભિનન્દન પત્રમ્

 

ભારતમુખ ઉજ્વલ  કારી મહાત્મા મોહનદાસ કર્મચન્દ જી ગાંધી મહોદય કે કરકમલો મેં સાદર સમર્પિત

 

શ્રધ્ધેય દેશાત્મા મહાત્મા જી,

 

જિલા અધ્યાપક સમિત કે હમ સદસ્યગણ આપકા અપને જિલે કી સમિતિ કી ઔર સે અપને પ્રાન્ત (બૈસવાડા) કે કેન્દ્રસ્થ રાયબરેલી નગર મેં સાદર તથા હાર્દિક સ્વાગત કરતે હૈ. ઔર અપને દર્શનો સે કૃત કૃત્ય હોકર અપને કો ધન્યમાનતે હૈ. પરન્તુ લજ્જિત હૈ કે પાહુન યોગ્ય હમારી સેવા નહિ, શ્રીમાન કે નેતૃત્વ મેં કિસાનો, મજદુરો, તથા ગરીબો કી દશા સુધારને કે લિયે જો પ્રભાવશાલી પ્રયત્ન હુયે હૈ વે કિસી સે છિપે નહિ હૈ. ઇસ સમય ભારત કો સંસાર મેં સબસે બડે મહ્પુરુષ કા જન્મ દેને કા ગર્વ જો પુનઃ પ્રાપ્ત હુઆ હૈ, ઉસકા એક માત્ર કારણ શ્રીમાન કા વ્યક્તવ્ય હૈ ઔર ઇસ ભારત કે અધ્યાપક સમાજ કો ભી ગર્વ હૈ.

 

હમારી સમિતિ ગત ૬ વર્ષ સે ઇસ જિલે મેં સ્થાપિત હૈ ઉસકા પ્રધાન ઉદેશ્ય શિક્ષા પ્રણાલી પર વિચાર કરના "અધ્યાપકો કી યોગ્યતા બઢાને મેં પ્રયત્નવાન રહના" એવંમ્ ઉનકી દશા સુધારને કે લિયે ઉદ્યોગ કરતે રહના હૈ. ઇન ઉદેશો કી પૂર્તિ કે લિયે હમારી સમિતિ ને પ્રાવિશિયલ ટીચર્સ એસોશીઅશન ઔર સર્વ ભારતીય અધ્યાપક મહા સભા કી સંસ્થાપના મેં ભરકસ યોગ દિયા હૈ.

હમ લોગો ને અછૂત બાલકો કો પ્રત્યેક સ્કૂલ મેં ભરતી કરને વ સ્પૃશ્યતા મિટાને કા સદા પ્રયત્ન કિયા હૈ. ઔર સ્કાઉટીડ મેં કાફી દિલચસ્પી લી હૈ.

 

યધપી હમારી સમિતિ ને અબ તક રાજનીતિ માર્ગ પર પૈર નહીં રકખા તથાપિ યહ શિકાયત કી જાતી હૈ કિ યહ સમિતિ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ કે હાથ કી કઠપુતલી હૈ દુર્ભાગ્ય સે શિક્ષા વિભાગ હી ને અધિક રુખાઈ દિખાલાઈ ઔર અબભી સમિતિ કે અધિવેશનો મેં જહાં અન્ય સરકારી વિભાગ સહયોગ કરતે હૈ વહાં શિક્ષા વિભાગ ટેઢી ચાલ ચલતા હૈ. હમ શ્રીમાન કો યહ બતાના ચાહતે હૈ કિ ભારત કે હીન સમુદાયો મેં હમારા સમુદાય એક મહાન દિન સમુદાય હૈ જો ગાંવો મેં ફૈલા હુવા હૈ ઔર દેશ કો શિક્ષિત બનાને મેં યથા શક્તિ યોગ દેતા હૈ. ઔર રાષ્ટ્ર કા અત્યાવશ્ય અંગ હૈ.

 

દેશ કે નેતાઓ કા ધ્યાન ભી ઇન ગૃહસ્થો કી ઔર નહિ ગયા હૈ. ઉસી સે હમ બહુત નિરાશ હૈ. શ્રીમાન સે હમારા સાદર  અનુરોધ હૈ કી જિસ પ્રકાર આપ જિલે કે મજદુર આદિ ભિન્ન ૨ વર્ગો કી ઔર ધ્યાન દેતે હૈ ઉસી પ્રકાર હમારી હીન દશા કી  ઔર ભી દ્રષ્ટિ પાત કીજિયે. ક્યોકી ભગવાન ભાસ્કર કી કિરણો સર્વત્ર સમાન પડતી હૈ જબ કિ શ્રીમાન અપને આપ કો દરિદ્ર નારાયણ કા પ્રતિનિધિ કહતે હૈ તો ફિર હમારા સમુદાય ભી આપકી કૃપા કટાક્ષ કા અધિકારી હૈ.

 

અન્તમેં શ્રીમાન કા એક બાર ફિર સ્વાગત કરતે હૈ ઔર શ્રીમાન કે ચિરાયુ હોને તથા નિરોગ રહને કી ભગવાન ભૂતભાવન સે પ્રાર્થના કરતે હૈ.

 

હમ હૈ અનન્ય ભક્ત,-

 

ઈન્દ્રપાલ સિંહ સભાપતિ

ઔર સદસ્યગણ અધ્યાપક સમિતિ જિલા રાયબરેલી

 

ગંગાધર પ્રેસ, રાયબરેલી ૧૨.૧૧.૨૯

 

 

 

 

ગાંધીજીને સન્માનિત કરતા માનપત્રોની આ પરંપરા છેક ૧૯૪૭ સુધી અવિરત પણે ચાલુ રહી છે. એ માનપત્રોમા ગાંધીજીના આદર્શો, કાર્યો અને તેમના પ્રત્યેની પ્રજાની અપેક્ષો અહોભાવ પૂર્ણ રીતે નોંધાયેલી છે. પણ આ તમામ માનપત્રોમા ઉડીને આંખે વળગે તેવી બાબત ગાંધીજી માટે થયેલ વિવિધ સંબોધનો છે. જે તેમની પ્રજા માનસમાં અંકિત થયેલી છબી વ્યક્ત કરે છે. જેના પર એક નજર નાખતા માલુમ પડે છે.

 

પૂજ્ય પાદ મહાત્મા મોહનદાસ કર્મચંદ ગાંધી

શ્રીમાન સત્ય સંધ ત્યાગમૂર્તિ મહાત્મા ગાંધીજી

અમન અને શાંતિના ફરિશ્તા મહાત્મા ગાંધીજી

પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહાત્મા ગાંધીજી

ભારત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

દેશ કે મુકટ ઔર હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

પુણ્યશ્લોક મહાત્મા ગાંધીજી

પૂજ્યપાદ જગ વિખ્યાત મહાત્મા મોહનદાસ ગાંધી

ત્યાગ મૂર્તિ મહાત્મા ગાંધીજી

હમારે હદય સમ્રાટ પૂજનીય મહાત્માજી

નર શ્રેષ્ટ મહાત્માજી

ભારત ગૌરવ પૂજ્યપાદ શ્રી મહાત્મા ગાંધી

દરિદ્ર દેવ – અછૂત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી

 

જેવા અનેક તખલ્લુસોથી સમગ્ર વિશ્વમાં સન્માનિત થયેલા ગાંધીજીને કોઈ એક નાનકડો દેશ નોબેલ પારિતોષિકથી સન્માનિત ન કરે તેથી ગાંધીજીની પ્રતિભા જરાયે ઝાંખી થતી નથી, બલકે ગાંધીજીના અવસાનના ૬૬ વર્ષ પછી પણ એનો વસવસો નોબેલ પારિતોષિક સમિતિ આજે પણ કરી રહી છે. એ જ ગાંધીજીના વ્યક્તિત્વનું સાચું સન્માન છે.

 

 

No comments:

Post a Comment